રસોઈ ટિપ્સ , આરોગ્ય ટિપ્સ

cooking tips

More Gujarati Articles
ભવિષ્યનુંઆયોજનકરવામાં વર્તમાનનેવેડફીનનાંખશો
કાળઝાળ ગરમીને વરિયાળીથી નાથો....

ask_the_expert

health tips

 

tell a friend

રસોઈ ટિપ્સ
 
1.લીલા ચણા અથવા વટાણા બાફતી  વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.
 
2. રોટલી માટે  લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી  બનશે.
 
3. ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
 
4.  મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ  દહીં જમાવી શકાય છે.
 
5. ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં  નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે.  અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી  દાણા અલગ-અલગ રહેશે.
 
6. ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ  ઉમેરવાથી  ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.
 
7. પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે
 
8. મીઠા સક્કરપારા  બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે
 
9. ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.
 
10. બિસ્કિટ પર  દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા  થશે.
 
11. વેફરને છૂટી કરવા કેળાંબટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.
 
12. દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને  કાચીપાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.
 
13. પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.
 
14. ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને  છે.
 
15. સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ  ફૂલેલાં બનશે.
આરોગ્ય ટિપ્સ
 
1. વરિયાળી સાથે આદું અથવા  જીરાનું સેવન કરવાથી પેટની  બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.
 
2. હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી  ચાર-છ મહિનાના  પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.
 
3. ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ  મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે  છે.
 
4. શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ  મટે છે.
 
5. એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.
 
6. ખોરાક પચતો ન હોય તેમણે  જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.
 
7. ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં 
 
8. ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ
 
Powered By MyCity Surat.com